સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો,
વલસાડ:-– રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ શનિવારે સવારે ૯ થી ૯-૩૦ વાગ્યા સુધી વાપીમાં અપગ્રેડેશન ઓફ વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ફેઝ ૨,૩,૪ અને ૧૦૦ શેડ એરિયાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૯-૩૦ થી ૧૦ સુધી આરડીએસએસ સ્કીમ હેઠળના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦-૩૦ કલાકે પારડી રેફરલ હોસ્પિટલમાં લીફટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૧-૩૦ કલાકે વલસાડની હાલર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દ્રષ્ટીહિન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઈલ સેલ્ફ લર્નિંગ લેબના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૨ કલાકે વાપીથી જહાંગીરાબાદ સુરત જવા રવાના થશે. સાંજે ૪ કલાકે જહાંગીરાબાદ અને પાંડેસરા ખાતે પંડિત દિન દયાળનગરના ૧૬૧૧ આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૨૨ ઓક્ટો.ને રવિવારે સવારે ૧૦ કલાકે વલસાડ ખાતે આરડીએસએસ સ્કીમ હેઠળના કામોનું ખાતમુહૂર્ત તેમજ અતુલ પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૨૩ ઓક્ટો.ને સોમવારે સવારે ૧૦ કલાકે ધરમપુર ખાતે પુસ્તકાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.