5.7 C
New York
Friday, Apr 26, 2024
Star Media News
Breaking News
News

માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્તોની ભીડ ઉમટી.

વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માં વિધાતા- માં વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્ય ધામમાં માં વિધાતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરીને અસંખ્ય લોકોએ ધન્યતા અનુભવી હતી.
અહિ આ ધામે માંનો દિવ્ય સંદેશ “ અંદ્ધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો “ તેમજ કર્તવ્યકર્મ, કર્મભક્તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્વિક શક્તિની આરાધના કરવા લાગ્યા છે.
આ ધામે ગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિયાં આ ધામે સ્વચ્છતા અને શિષ્ટતા જોઇને લોકો પણ પોતાના જીવનમાં સ્વચ્છતા અને શિષ્ટતાનું પાલન કરતા થયા છે.
આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

गरीब और बेघर बच्चों की मिशन मिल्क ने मिटाई भूख। 

cradmin

पूर्व केंद्रीय मंत्री मुरली देवरा की पुण्यतिथि पर दी गई श्रद्धांजलि

cradmin

गुजराती समाज ने हमेशा भाजपा को ताकत और प्रेरणा दी–केंद्रीय मंत्री पुरुषोत्तम रुपाला। 

cradmin

Leave a Comment